અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાંક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર ભોગવવો પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, તારીખ 22 ઓક્ટોબરથી એક મજબૂત સિસ્ટમ બનશે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આ દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે પશ્ચિમી વિક્ષોભ આવશે. જેની અસરથી દક્ષિણ પૂર્વીય તટો પર બરફ પડવાની શક્યતા રહેશે. જેની અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. પહેલી નવેમ્બરથી સાત નવેમ્બર સુધી ગુજરાતના માથે વરસાદના વાદળો ઘેરાઈ શકે છે. 7 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં બીજું એક વાવાઝોડું આવશે. જેના કારણે સાતથી નવ નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠું આવવાની શક્યતા છે.
દિવાળી દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે,૧ થી ૭ નવેમ્બર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના છે જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ઠંડી વચ્ચે માવઠાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
2 થી 24 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડુ ફુંકાવાની શક્યતા છે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે, સાથે અત્યારે ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળશે અને તાપમાનમાં વધારો થશે તેવું અનુમાન છે.